• Home
  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી
  • More..
  • facebook
  • instagram
  • twitter
  • Youtube
  • Home
  • બિઝનેસ
  • વોડાફોન-આઇડીયા બંધ થશે? ૧૩ લાખ ગ્રાહકો ગુમાવ્‍યા : જીયો બની નં.૧ કંપની, એરટેલ બીજા સ્થાને..!

વોડાફોન-આઇડીયા બંધ થશે? ૧૩ લાખ ગ્રાહકો ગુમાવ્‍યા : જીયો બની નં.૧ કંપની, એરટેલ બીજા સ્થાને..!

09:59 AM September 29, 2023 admin Share on WhatsApp



ટેલિકોમ રેગ્‍યુલેટરી ઓથોરિટી ઓફ ઈન્‍ડિયા (TROI) એ જુલાઈ મહિનાના આંકડા જાહેર કર્યા છે. Reliance Jio અને Airtel માટે આ સારા સમાચાર છે, કારણ કે બંને કંપનીઓમાં નવા ગ્રાહકોનો હિસ્‍સો વધ્‍યો છે. જિયો(JIO) ૩૯,૦૭,૩૨૦ નવા ગ્રાહકો ઉમેરીને ભારતનું સૌથી મોટું ટેલિકોમ ઓપરેટર બની ગયું છે. તે જ સમયે, એરટેલ(Airtel)ને પણ ૧૫,૧૭,૨૫૭ નવા ગ્રાહકો મળ્‍યા છે. પરંતુ આ ગ્રાહકો વોડાફોન-આઈડિયામાંથી આવ્યા હોવાનું સામે આવ્યું છે. એટલે કે Vodafone - Idea ના ગ્રાહકો તુટ્યા છે. વોડાફોન આઈડિયા અને BSNLને ફરીથી નિરાશ થવું પડ્‍યું છે. ખરેખર, જુલાઈમાં ૩૯,૦૭,૩૨૦ નવા ગ્રાહકો JIO સાથે જોડાયા છે. આ સાથે જિયોનો કુલ યુઝર બેઝ વધીને ૪૪,૨૪,૮૯,૩૮૯ થઈ ગયો છે. આ સાથે જિયો ભારતની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર બની ગઈ છે. Reliance Jio પછી Bharati Airtel બીજા નંબરે છે.

► વોડાફોન-આઈડિયા બંધ થશે?

જુલાઈ મહિનામાં એરટેલમાં ૧૫,૧૭,૨૫૭ નવા ગ્રાહકો જોડાયા છે. આ રીતે, એરટેલના કુલ વપરાશકર્તાઓની સંખ્‍યા વધીને ૩૭,૫૨,૪૨,૬૧૧ થઈ ગઈ છે, પરંતુ વોડાફોન આઈડિયાના ૧૩,૨૧,૭૫૮ વપરાશકર્તાઓએ કંપની છોડી દીધી છે. તમને જણાવી દઈએ કે વોડાફોન આઈડિયાને બિઝનેસના દૃષ્ટિકોણથી લાંબા સમયથી નુકસાન થઈ રહ્યું છે. તેમજ નવા અને જૂના યુઝર્સ સતત કંપની છોડી રહ્યા છે. જેના કારણે વોડાફોન આઈડિયાને નુકસાન થઈ રહ્યું છે. અહેવાલો છે કે જો આવું જ ચાલુ રહ્યું તો વોડાફોન આઈડિયા કંપની આગામી દિવસોમાં બંધ થઈ શકે છે. અથવા વોડાફોન-આઈડિયા કંપની પર સરકારનું સંપૂર્ણ નિયંત્રણ હોઈ શકે છે.

► ગ્રાહકો પર શું અસર થશે?

વોડાફોન-આઈડિયા કંપની સંપૂર્ણપણે બંધ નહીં થાય. મતલબ તેની કામગીરી ચાલુ રહેશે. આવી સ્‍થિતિમાં ગ્રાહકોને સીધું નુકસાન નહીં થાય. તમને જણાવી દઈએ કે Viમાં સરકારની ૩૩ ટકા ભાગીદારી છે. આવી સ્‍થિતિમાં કંપની બંધ નહીં થાય. જો કંપની તેના દેવાની ચૂકવણી કરવામાં અસમર્થ હોય, તો કંપની સરકાર દ્વારા લેવામાં આવી શકે છે.બ્રોડબેન્‍ડ વપરાશકર્તાઓની સ્‍થિતિ ટ્રાઈના ડેટા અનુસાર ભારતમાં બ્રોડબેન્‍ડ યુઝર્સની કુલ સંખ્‍યા ૮૫૦.૯૪ મિલિયન છે. દર મહિને ૦.૫૨ ટકાનો વધારો નોંધાયો છે.

► કોના કેટલા યુઝર્સ?

રિલાયન્‍સ જિયો ઇન્‍ફોકોમ લિમિટેડ - ૪૪૧.૯૨ મિલિયન

ભારતી એરટેલ - ૨૪૪.૩૭ મિલિયન

વોડાફોન-આઈડિયા - ૧૨૩.૫૮ મિલિયન

BSNL - ૨૫.૨૬ મિલિયન 

એટ્રિયા કન્‍વર્જન્‍સ - ૨.૧૪ મિલિયન


 gujjunewschannel.in https://twitter.com/ChannelGuj23424https://www.facebook.com/Gujjunewschannelhttps://www.instagram.com/gujju_news_channel/https://t.me/gujjunewschannelFollow Us On google News Gujju News Channel 

Home Page- gujju news channel - Latest Gujarati News, તાજા ગુજરાતી સમાચાર, Latest Gujarati News LIVE, Online Gujarati News, Gujarati news headlines today, Gujarati News Channel - ગુજરાતી સમાચાર - Vodafone idea airtel jio user number in 2023



Tags Category

  • દેશ-વિદેશ
  • ગુજરાત
  • રાજકારણ
  • બિઝનેસ
  • ધાર્મિક અને જ્યોતિષ
  • હેલ્થ
  • ક્ષણિક દુનિયા
  • એન્ટરટેઇનમેન્ટ
  • લાઈફ સ્ટાઈલ
  • સ્પોર્ટસ
  • યોજના-ભરતી

Popular Post

કેદારનાથ નજીક હેલિકોપ્ટર ક્રેશ, 7 લોકોના મોત : ચાર ધામ હેલિકોપ્ટર સેવા બંધ કરાઈ

  • 15-06-2025
  • Gujju News Channel
  • આજનું રાશિફળ, 15 જુન 2025 : જાણો આજનો રવિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 14-06-2025
    • Gujju News Channel
  • સરકારી કર્મચારીઓને મોટો ઝટકો! હમણા લાગું નહીં થાય 8મું પગાર પંચ
    • 14-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash નો નવો વીડિયો થયો વાયરલ, ભયાનક વીડિયો જોઇને તમે થથરી જશો
    • 14-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 14 જુન 2025 : જાણો આજનો શનિવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 13-06-2025
    • Gujju News Channel
  • અમદાવાદ એર ઇન્ડિયા પ્લેન ક્રેશ, DVR અને બ્લેક બોક્સ મળી આવ્યું, હવે ખુલશે રહસ્ય!
    • 13-06-2025
    • Gujju News Channel
  • Israel-Iran Attack: ઈરાનના બુશહર બંદર પર ઈઝરાયલનો ભીષણ હુમલો, વિડિયો સામે આવ્યો
    • 13-06-2025
    • Gujju News Channel
  • આજનું રાશિફળ, 13 જુન 2025 : જાણો આજનો શુક્રવારનો દિવસ કેવો રહેશે ? Aaj Nu Rashifal
    • 12-06-2025
    • Gujju News Channel
  • Air India Plane Crash: અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે બની? શું તે ભૂલ હતી કે કોઈ અન્ય કારણ; નિષ્ણાતોએ શું કહ્યું?
    • 12-06-2025
    • Gujju News Channel
  • Ahmedabad Plane Crash : ટાટા ગ્રુપે પ્લેન અકસ્માતમાં મૃતકોના પરિવારોને રૂપિયા 1 કરોડ સહાયની જાહેરાત કરી
    • 12-06-2025
    • Gujju News Channel

Copyright © GujjuNews All rights reserved.

  • Privacy Policy
  • Disclaimer
  • Get In Touch
  • Cookie Policy
  • Contact Us